Thursday, March 11, 2010

સવાલઃ રોજ સવારે ભગવાનને દીવા-અગરબત્તી શા માટે કરવામાં આવે છે??
જવાબઃ જૂના જમાનામાં દીવા માટે જે ઘી વપરાતું હતું તે શુધ્ધ દૂધમાંથી બનતું હતું, જેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો હતાં. જ્યારે આ ઘીને દીવામાં બાળવામાં આવતુ, ત્યારે તેમાંથી આ પોષક તત્વો છૂટા પડતા અને હવામાં ભળી જતા. એજ રીતે અગરબત્તી કે જે જડીબુટ્ટીમાંથી બનતી એમાંથી પણ પોષક તત્વો છૂટા પડી હવામાં ભળી જતા. આ પોષક તત્વો આપણા શ્વાસ મારફતે આપણા શરીરમાં જતા હતા, જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. આજના Pasteurised milkમાંથી આ તત્વો મળવા મુશ્કેલ છે. આજની અગરબત્તી કે જે ૩૫-૫૦ રૂપિયામાં ૮૦-૧૦૦ ગ્રામ મળે છે તે જડીબુટ્ટીમાંથી બની હશે? મને નથી લાગતું. આજે આપણે જે દીવા-અગરબત્તી કરીએ છીએ તેનાથી માત્ર પ્રદૂષણ જ ફેલાય છે. આ ધૂમાડાથી તો ભગવાન પણ ત્રાસી ગયા હશે.

No comments:

Post a Comment